संदेश

ભાજપ સંગઠનમાં સખળ ડખળ..!?

चित्र
  મિત્રો જામનગર ભારતીય જનતા પાર્ટીમાં તાજેતરમાં જ શહેર સંગઠનની જાહેરાત ધામધૂમથી કરવામાં આવી હતી અને તેને મોટાભાગના નેતાઓએ સહર્ષ મને, કમને સ્વીકારી અને સોશિયલ મીડિયામાં અભિનંદન આપ્યા હતા. ( અમુક નેતાઓએ નહોતા પણ આપ્યા.)  ભારતીય જનતા પાર્ટી પોતાને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે, એટલે પાર્ટીનો આંતરિક વિવાદ ક્યારેય પ્રજા સમક્ષ આવતો નથી. પરંતુ ગઈકાલે જામનગર ભારતીય જનતા પાર્ટીના નવા વેરાયેલા મહામંત્રી ભાવેશ ઠુંમર ની જગ્યાએ નવા મહામંત્રી તરીકે ભાવેશ પટેલની નિમણૂંક કરવામાં આવતા શહેર ભરમાં ચર્ચા નો વિષય બની ગયો છે. સંગઠન સર્વોપરી જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે તેના નિર્ણય સામે કોઈ બોલવાની કે પછી વિરોધ કરવાની હિંમત કરતું નહોતું. તેના દિલ્લી ગયા પછી સંગઠનમાં અનેક જગ્યાએ વાદવિવાદ જોવા મળ્યા છે અને અનેક વિવાદો જગજાહેર પણ થયા છે. તે પછી પદ મેળવવાનો હોય કે પછી ચૂંટણીમાં ટિકિટ લડવા માટેનો હોય. શું હજુ પણ સંગઠનમાં બદલાવ આવી શકે છે ?? સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેર ભાજપા સંગઠન માં હજુ પણ મોટા ફેરફારો આવી શકે તેવી શક્યતા નિવારી શકાય તેમ નથી. કેમ કે આગામી વર્ષ ૨૦૨૭માં ગુજરાત વિધાનસભાની ...

JMC માં સિક્યોરિટી પાછળ કરોડો નો ખર્ચ

चित्र
 જામનગર મહાનગર પાલિકા નો વહીવટ અવારનવાર ચર્ચામાં આવતો રહે છે. કેન્દ્ર ની મોદી સરકાર અને ખુદ પીએમ નરેન્દ્ર મોદીએ ખર્ચમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે ત્યારે ભાજપ શાસિત જામનગર મહાનગર પાલિકામાં કરોડો રૂપિયાનો ખર્ચ માત્ર સિક્યોરિટી પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે. શું આ ખર્ચ પર કાપ ન મૂકી શકાય ?? જામનગર મહાનગર પાલિકા પાસે પોતાની સિક્યોરિટી હોવા છતાં પણ ખાનગી પાર્ટી ને કોન્ટ્રાક્ટ આપી અને પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા માત્ર સિક્યોરિટી પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યા છે. આવું કરવાનું કારણ શું હોઈ શકે ? શું મહાનગરપાલિકામાં સિક્યોરિટી સ્ટાફ જે કાયમી નોકરી કરે છે તેની સંખ્યા ઓછી છે ? કે પછી મહાનગર પાલિકા સિક્યોરિટી ની સીધી ભરતી કરે તો ભારણ વધુ આવે તેમ છે એટલે ખાનગી કંપની ને કામ આપી પૈસા બચાવી રહ્યું છે ?? મહાનગર પાલિકા અને મહાનગર પાલિકા હસ્તકની કચેરીઓમાં સિક્યોરિટી સ્ટાફ જે રાખવામાં આવેલ છે તેને સરકારી ધારાધોરણ મુજબ મહાનગર પાલિકા તો પૈસા ચૂકવી આપતી હોય એ સ્વાભાવિક છે, પરંતુ સવાલ એ થાય કે શું સિક્યોરિટી ગાર્ડ ને કંપની પૂરતો પગાર આપે છે ? દરરોજ રાખવાનું ટેન્ડર માં નક્કી કરાયેલ હોય ત...

સત્તા પાંખ- સંગઠન પાંખ વચ્ચે લક્ષ્મણ રેખા દોરવાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થશેઃ કનકસિંહ જાડેજા

चित्र
 પ્રદેશ ભાજપના નિર્ણયને આવકારતા પૂર્વ મેયર સત્તા પાંખ- સંગઠન પાંખ વચ્ચે લક્ષ્મણ રેખા દોરવાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થશેઃ કનકસિંહ જાડેજા ગુજરાત પ્રદેશ ભાજપ મોવડી મંડળે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પક્ષની સત્તા પાંખ અને સંગઠન પાંખ વચ્ચેના સંકલન મામલે નવી પ્રક્રિયા અમલમાં મૂકવાના કરેલ નિર્ણયને જામનગર શહેરના પૂર્વ મેયર કનકસિંહ જાડેજાએ આવકાર્યો છે. એક નિવેદનમાં ભાજપના જ પૂર્વ મેયર એવા કનકસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ભાજપની સત્તા પાંખ અને સંગઠન પાંખ વચ્ચે પ્રદેશ કક્ષાએથી દોરવામાં આવેલી આ લક્ષ્મણ રેખાના પગલે ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભાજપ શાસિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નીતિ વિષયક નિર્ણયો તેમજ વિકાસ કામો સહિતના નિર્ણયો લેતા પહેલા સંકલન બેઠક મળે છે. જેમાં સ્થાનિક સંગઠન પણ અત્યાર સુધી સામેલ હતું. પરંતુ હવે પક્ષના મોવડી મંડળની નવી માર્ગદર્શિકાથી તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં જામનગર મહાનગર પાલિકાથી સ્થાયી સમિતિની બેઠક પહેલાની સંકલન બેઠક પક્ષના કાર્યાલયના બદલે મનપા કચેરીના સ્ટેન્ડિંગ કમિટિ હોલમાં મળી હતી અને તેમાં શહેર ભાજપ...

BJP: મનપા ના વહીવટમાં પ્રમુખ સાઇડ લાઇન

चित्र
 ગુજરાતની મોટાભાગની મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટી ની બહુમત ની સરકાર છે. ત્યારે આજે એક નવી વાત સૂત્રો દ્વારા જાણવા મળી છે.  આજે જામનગર મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની નવી ચૂંટાયેલી પાંખ ની બીજી મિટિંગ હતી. તેમાં ૬૧૪ કરોડના અલગ અલગ કામો મંજૂર કરવામાં આવ્યા. જોવા જેવી વાત એ મળી કે પહેલા દરેક વખતે સ્ટેન્ડિંગ કમિટી હોય કે પછી જનરલ બોર્ડની મિટિંગ હોય, પહેલા પ્રમુખ સ્થાને ભાજપ કાર્યાલયે બધુ સંકલન થઈ જાય ત્યાર બાદ સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડમાં ફાઈનલ થાય. પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સમગ્ર ગુજરાતમાં જ્યાં ભાજપનું શાસન છે ત્યાં હવે શહેર પ્રમુખ ને મહાનગર પાલિકાના વહીવટ થી સાઇડ લાઇન કરવામાં આવ્યા છે. એટલે કે પ્રમુખને કોઈ પણ એજન્ડા માટે પૂછવાનું રહેતું નથી. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, પ્રદેશ માંથી આદેશ થયા હોય એવું લાગી રહ્યું છે. આદેશ માં એવું જણાવ્યું છે કે, મહાનગર પાલિકાના મેયર તથા ચેરમેન એ હવે પ્રભારી સાથે સંકલન કરી અને તમામ નિર્ણયો લેવાના રહેશે અને પ્રભારી પ્રદેશ સાથે સંકલન કરશે. ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં કદાચ આવડો મોટો ફેરફાર પ્રથમ વખત થયો હશે, ...

ભાજપે જામનગરમાં ચૂંટણી તો જીતી લીધી પરંતુ...!

चित्र
 જામનગરમાં ચૂંટણી તો જીતી લીધી ભાજપે પરંતુ...! સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ ખોબલે ખોબલે મત આપી ને સત્તાનું સુકાન સોંપી દીધું છે ત્યારે આપણે જામનગર મહાનગર પાલિકાની વાત કરીએ તો જામનગરમાં વિપક્ષ નો સફાયો થઈ ગયો છે. પહેલા વિપક્ષમાં ૮ કોંગ્રેસ, ૩ આમ આદમી પાર્ટી અને ત્રણ બહુજન સમાજના કોર્પોરેટરો હતા, જ્યારે આ ચૂંટણી બાદ હવે માત્ર વોર્ડ નંબર ૧૨ માં બે કોંગ્રેસ અને બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જ વિપક્ષમાં રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીએ જામનગર મહાનગરપાલિકાની ૬૪ માંથી ૬૦ બેઠકો જીતી લીધી છે.... નવાનિશાળિયાઓ પર ભાજપનો અખતરો સફળ થયો  ભારતીય જનતા પાર્ટીએ આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક નવો અખતરો કર્યો હતો અને ૩૬ જેટલા જૂના કોર્પોરેટર ની ટિકિટ કાપી નવા નિશાળિયાઓને ટિકિટ આપી હતી અને તેને જીતાડવામાં પણ ભારતીય જનતા પાર્ટી સફળ રહી. તડજોડ અને ગોઠવણ હજુ પણ ચાલી રહ્યું છે. કેમ કે મહાનગર પાલિકામાં મેયર પદ સામાન્ય મહિલા માટે અનામત છે, બાકી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા અને દંડક માટે કયો હોદ્દો કોને આપવો એ તો પાર્ટી લેવલે અમુક નામો પસંદ કરી લેવામાં આવ્યા છે...

जामनगर भाजपा में अंदरूनी कलह सतह पर... ?

चित्र
जामनगर भाजपा में अंदरूनी कलह सतह पर... ?  *नई संगठनात्मक नियुक्तियों पर विधायक रिवाबा जडेजा की चुप्पी ने खड़े किए सवाल* भारतीय जनता पार्टी (भाजपा) को हमेशा से ही एक अनुशासित और कैडर-आधारित पार्टी माना जाता रहा है। राजनीतिक गलियारों में यह कहावत मशहूर है कि भाजपा 'व्यक्ति' से नहीं, बल्कि 'संगठन' से चलती है। जब संगठन मजबूत होता है, तो चुनाव के दौरान नेताओं और उम्मीदवारों की राह आसान हो जाती है क्योंकि जमीनी स्तर का काम पार्टी के समर्पित कार्यकर्ता संभाल लेते हैं। लेकिन गुजरात के जामनगर में, जो भाजपा का गढ़ माना जाता है, आजकल हवा का रुख कुछ बदला हुआ नजर आ रहा है। जामनगर भाजपा में नई संगठनात्मक नियुक्तियों के बाद से ही सियासी पारा चढ़ा हुआ है। शहर में चर्चाओं का बाजार गर्म है कि क्या जामनगर उत्तर की विधायक और क्रिकेटर रवींद्र जडेजा की पत्नी, रिवाबा जडेजा, पार्टी के नए संगठनात्मक ढांचे से खुश नहीं हैं? यह सवाल इसलिए उठ रहा है क्योंकि नई नियुक्तियों की घोषणा के 15 दिन बीत जाने के बाद भी उनकी ओर से कोई प्रतिक्रिया नहीं आई है। *सोशल मीडिया पर सन्नाटा: नाराजगी का संकेत...?* आज के ड...

જામનગર મહાનગર પાલિકા ના શાસકો નો બોકાશો...!

चित्र
  શાસકો જ શાસન થી ત્રાસી ગયા છે...! જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું એક હથ્થું બહુમતી વાળું શાસન ચાલી રહ્યું છે, ત્યારે હાલમાં એવા સંજોગો ઊભા થયા છે જ્યારે મહાનગર પાલિકાના શાસકો જ શાસન થી ત્રાહિમામ પોકારી ગયા છે... જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમાર હાલના શાસનથી પરેશાન થઈ પ્રજાના કામ માટે અવાજ ઉઠાવી રહ્યા છે... તપન પરમારે મહાનગરપાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓને પત્ર લખી પોતાની વેદના ઠાલવી છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી સમગ્ર ભાજપ પણ હચમચી ગયું છે. કારણકે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. દરેક વખતે મોદીજી ના નામ પર મત મેળવી સુટાતા સભ્યોને હાલના વાતાવરણ મુજબ એવું લાગી રહ્યું છે કે, હવે માત્રને માત્ર મોદીજીના નામ પર કે ચહેરા પર સત્તા મેળવી શકાશે નહીં, એટલે પ્રજાના કામ પણ કરવા જરૂરી છે. તપન પરમાર નો પત્ર વાયરલ થતા સામાન્ય પ્રજામાં પણ એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો સત્તામાં બેઠેલા ભાજપના પદાધિકારીઓના કામ ન થતા હોય તો પછી વિરોધ પક્ષ અને સામાન્ય નાગરિકના કામો કઈ રીતે ...