સત્તા પાંખ- સંગઠન પાંખ વચ્ચે લક્ષ્મણ રેખા દોરવાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થશેઃ કનકસિંહ જાડેજા
પ્રદેશ ભાજપના નિર્ણયને આવકારતા પૂર્વ મેયર સત્તા પાંખ- સંગઠન પાંખ વચ્ચે લક્ષ્મણ રેખા દોરવાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થશેઃ કનકસિંહ જાડેજા ગુજરાત પ્રદેશ ભાજપ મોવડી મંડળે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પક્ષની સત્તા પાંખ અને સંગઠન પાંખ વચ્ચેના સંકલન મામલે નવી પ્રક્રિયા અમલમાં મૂકવાના કરેલ નિર્ણયને જામનગર શહેરના પૂર્વ મેયર કનકસિંહ જાડેજાએ આવકાર્યો છે. એક નિવેદનમાં ભાજપના જ પૂર્વ મેયર એવા કનકસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ભાજપની સત્તા પાંખ અને સંગઠન પાંખ વચ્ચે પ્રદેશ કક્ષાએથી દોરવામાં આવેલી આ લક્ષ્મણ રેખાના પગલે ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભાજપ શાસિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નીતિ વિષયક નિર્ણયો તેમજ વિકાસ કામો સહિતના નિર્ણયો લેતા પહેલા સંકલન બેઠક મળે છે. જેમાં સ્થાનિક સંગઠન પણ અત્યાર સુધી સામેલ હતું. પરંતુ હવે પક્ષના મોવડી મંડળની નવી માર્ગદર્શિકાથી તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં જામનગર મહાનગર પાલિકાથી સ્થાયી સમિતિની બેઠક પહેલાની સંકલન બેઠક પક્ષના કાર્યાલયના બદલે મનપા કચેરીના સ્ટેન્ડિંગ કમિટિ હોલમાં મળી હતી અને તેમાં શહેર ભાજપ...