JMC માં સિક્યોરિટી પાછળ કરોડો નો ખર્ચ
જામનગર મહાનગર પાલિકા નો વહીવટ અવારનવાર ચર્ચામાં આવતો રહે છે. કેન્દ્ર ની મોદી સરકાર અને ખુદ પીએમ નરેન્દ્ર મોદીએ ખર્ચમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે ત્યારે ભાજપ શાસિત જામનગર મહાનગર પાલિકામાં કરોડો રૂપિયાનો ખર્ચ માત્ર સિક્યોરિટી પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે. શું આ ખર્ચ પર કાપ ન મૂકી શકાય ?? જામનગર મહાનગર પાલિકા પાસે પોતાની સિક્યોરિટી હોવા છતાં પણ ખાનગી પાર્ટી ને કોન્ટ્રાક્ટ આપી અને પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા માત્ર સિક્યોરિટી પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યા છે. આવું કરવાનું કારણ શું હોઈ શકે ? શું મહાનગરપાલિકામાં સિક્યોરિટી સ્ટાફ જે કાયમી નોકરી કરે છે તેની સંખ્યા ઓછી છે ? કે પછી મહાનગર પાલિકા સિક્યોરિટી ની સીધી ભરતી કરે તો ભારણ વધુ આવે તેમ છે એટલે ખાનગી કંપની ને કામ આપી પૈસા બચાવી રહ્યું છે ?? મહાનગર પાલિકા અને મહાનગર પાલિકા હસ્તકની કચેરીઓમાં સિક્યોરિટી સ્ટાફ જે રાખવામાં આવેલ છે તેને સરકારી ધારાધોરણ મુજબ મહાનગર પાલિકા તો પૈસા ચૂકવી આપતી હોય એ સ્વાભાવિક છે, પરંતુ સવાલ એ થાય કે શું સિક્યોરિટી ગાર્ડ ને કંપની પૂરતો પગાર આપે છે ? દરરોજ રાખવાનું ટેન્ડર માં નક્કી કરાયેલ હોય ત...